Thursday, July 06, 2017

ક્યાં રાખશું સરાણિયાને? પોતાના ગામમાં રાખવાની બધા ના પાડીશું તો ક્યાં જશે આ લોકો?

મતદાર અને રેશનકાર્ડ મળ્યા તેનો હરખ ફોટોમાં દેખાય છે...
આ હરખ વિરોધના કારણે વિલાઈ ગયો છે...
‘અમે દેવપુરાના હરોણિયા(સરાણિયા). વર્ષોથી ગોમમાં ચોમાસુ રેતા. પણ અમારા નામે કોઈ કાગળ પત્તર મળે નહીં. સંસ્થા(VSSM)ના તોહીદભઈએ બધુ કઢાઈ આલ્યું. સરપંચના હાથે કેડ અલાયા. સરપંચ અમારા ઓગણે આયા એટલ અમન ઈમ ક હવ પંચાયત પલોટ માટે ના નઈ પાડ્ પણ....’
VSSMએ સરાણિયા પરિવારોને પ્લોટ મળે તેની દરખાસ્ત તૈયાર કરીને કલેક્ટર કચેરીમાં આપી. પણ આ દરખાસ્ત જેવી પંચાયતમાં ખરાઈ માટે પહોંચી કે સરપંચનો ફોન આવ્યો, ‘તોહીદભાઈ મતદારકેડ અને રેશનકેડ હુદી બધુ ઠીક હતું પણ તમે તો ઓમને ગોમમાં ધાલવાની વાત કરો સો એ નઈ બન્. દેવપુરા આખુ ગોમ રાજપુતોનું. હરોણિયાન ગોમમાં ઘાલુ તો આખુ ગોમ વિફર. ભઈ સાબ આ બધુ રેવા દો’.

No comments:

Post a Comment